Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

મોરબીના મચ્છુ ૩ ડેમમાં માછીમારી કરવા ગયેલ આધેડનું ડૂબી જતા મોત

મોરબીના મચ્છુ ૩ ડેમમાંથી આધેડનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે તેને પી એમ માટે ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના મચ્છુ ૩ ડેમમાં આધેડનો મૃતદેહ હોવાની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે દોડી જઈને મૃતદેહને બહાર કાઢ્યો હોય અને પી એમ માટે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવતા મૃતકનું નામ મનસુખભાઈ અવચરભાઈ ઝીંજવાડિયા (ઉ.૪૫) (રહે-જુના ધરમપુર વાળા)  હોવાની માહિતી મળી હતી અને મૃતક મનસુખભાઈ માછીમારી કરવા માટે મચ્છુ ૩ ડેમમાં ગયા હોય દરમિયાન પાણીમાં ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હોવાની પ્રાથમિક માહિતી મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા પાસેથી મળી હતી

(9:24 am IST)