Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ગોંડલના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં પૂ. હરીચરણદાસ મહારાજના હસ્તે વૃક્ષારોપણ

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ, તા. ૪ :. ગોંડલ મહાદેવવાડી ખાતે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં 'બીલીપત્ર' વૃક્ષારોપણ, પરમ પૂજ્ય સદગુરૂ મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસ બાપુના હસ્તે કરાયુ હતું. આ તકે ઉપસ્થિતિમાં ચંદ્રશેખરભાઈ ઠાકર, મંદિરના પુજારી કૌશિકભાઈ અદા, પત્રકાર ચંદ્રશેખરભાઈ જયસ્વાલ, ભાસ્કરભાઈ જયસ્વાલ, જયમીન જયસ્વાલ, પત્રકાર ગૌરાંગ મહેતા, વિનુભાઈ વસાણી, હરપાલસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા સહિત હાજર રહેલ હતા.

(11:33 am IST)