Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

કોડીનારમા વિનામુલ્યે અનાજ વિતરણ

કોડીનાર : કોડીનાર દુકાનો ઉપર થી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ લાભાર્થીઓ ને વિના મૂલ્યે અનાજ વિતરણ કરવામા આવ્યું હતું.કોડીનાર નગરપાલિકા ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ અન્ન યોજના વિતરણ કાર્યક્રમ માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એનએફએસએ લાભાર્થીઓ ને પ્રતિ વ્યકિત ૩.૫ કિલો દ્યઉં અને ૧.૫ કિલો ચોખા મળી કુલ ૫ કિલો અનાજ નું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ કેન્દ્ર સરકાર ની અલગ અલગ યોજનાઓ વિશે લાભાર્થીઓને માહિતગાર કરાયા હતા.આ કાર્યક્રમ માં મામલતદાર અસવાર,ચીફ ઓફિસર ડી.ડી.ચાવડા, નગરપાલિકા ના પ્રમુખ સુભાસભાઈ ડોડીયા,ગીતાબેન બારડ,મનુભાઈ મેર સહિત પાલિકા ના સભ્યો,જીશાનભાઈ નકવી સહિત ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:42 am IST)