Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા છવાય છે પરંતુ વરસાદ વરસતો નથી

પવનના સૂસવાટા સાથે મિશ્ર હવામાન યથાવત

રાજકોટ, તા.૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ પણ મિશ્ર વાતાવરણ યથાવત છે. દરરોજ વાદળા છવાય છે પરંતુ વરસાદ વરસતો નથી.

છેલ્લા થોડા દિવસોથી પવનના સૂસવાટા સાથે વાદળછાંયુ વાતાવરણ છવાયેલુ રહે છે. જે આજે પણ યથાવત છે.

આ વાતાવરણના કારણે બફારામાં રાહતનો અનુભવ થઇ રહયો છે.

જામનગર

(મુકંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩૨ મહત્તમ ૨૬.૬ લઘુતમ ૮૭ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૪.૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(12:48 pm IST)