Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

મોરબીમાં જલારામ મંદિર ખાતે આયોજિત નેત્રમણી કેમ્પ સંપન્ન :૩૦૨ દર્દીઓએ લીધો લાભ: દર મહીનાની ૪ તારીખે કેમ્પ યોજાશે

 મોરબી : રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમા ૩૦૨ દર્દીઓએ લાભ લીધો હતો. જેમાંથી ૧૧૩ લોકોના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરાશે.

રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૮-૨૦૨૧ બુધવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતીમા નિ:શુલ્ક નેત્રયજ્ઞનો મોરબી જલારામ મંદિર ખાતે શુભારંભ કરાયો હતો.
જેમા ૩૦૨ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત ૧૧૩ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવામા આવશે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દી ઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે આવતીકાલે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.
કેમ્પને સફળ બનાવવા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. હવેથી દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીઓનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. હવે પછી કેમ્પનો લાભ લેવા માટે આગામી તા. ૪-૯-૨૦૨૧ ના રોજ સવારે ૯ થી ૧ દરમિયાન શહેરના જલારામ પ્રાર્થના મંદિર, મોરબી ખાતે ઉપસ્થિત રહેવુ. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી ૯૮૨૫૦ ૮૨૪૬૮, હરીશભાઈ રાજા ૯૮૭૯૨ ૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ ૯૯૯૮૮ ૮૦૫૮૮ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.

(9:45 pm IST)