Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

અમરેલીમાં કોરોનાએ વધુ ર નો ભોગ લીધો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૪  ખતરનાક કોરોના વાયરસ અમરેલીમાં મોડા નિદાનને કારણે માનવીઓનો ભોગ લઇ રહયો છે અને તેમાં દિવસને દિવસે વધારો થઇ રહયો છે. આજે ગુરૂવારે અમરેલીમાં સારવાર દરમિયાન વધુ બે કોરોના પોઝીટીવ દર્દીઓના મોત નીપજયા હતા. અમરેલીના હનુમાનપરામાં સહજાનંદનગર વિસ્તારનાં તા.રપના રોજ પોઝીટીવ આવેલા ૭૦ વર્ષના પુરૂષનું દર્દીનું અને તા.૩૧મીએ પોઝીટીવ આવેલ અમરેલીના મોટા માચીયાળા ગામના ૪૮ વર્ષના કોરોના પોઝીટીવ દર્દીના મોત નીપજયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના માત્ર ઉમરલાયક નહી પણ ૪૮ વર્ષની ઉંમરના લોકોને પણ ભરખી જાય છે અને જેણે કોરોના સહન કર્યો છે તે સાવચેત થયા બાકીના બધા હજુ પણ સાવ બેફીકર સ્થિતિમાં છે.

(12:57 pm IST)