Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

એસબીઆઇની કેશોદ બ્રાંચનાં કેશીયરને કોરોના પોઝીટીવ

જૂનાગઢ જિલ્લાનાં કુલ કેસ ૧૮૦૮

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૪: જુનાગઢ જિલ્લામાં ગુરૂવારે નવા ર૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને ૧૮૦૮ થઇ છે.

ગઇકાલે નવા ર૭ કેસની સામે ૩૭ દર્દી સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવેલ.

દરમ્યાનમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની કેશોદ બ્રાન્ચનાં કેશીયરને પણ કોરોના થયો હોવાનું જાણવા મળેલ છે.

જિલ્લામાં હજુ ૧૧૭ સ્થળો પર કન્ટેઇનમેન્ટ ઝોન બનાવવામાં આવેલ છે. જેમાં ૧૭૧૬ ઘરોનાં ૬૮૮૮ લોકોનો સમાવેશ થાય છે.

(12:59 pm IST)