Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

પોરબંદરમાં કોરોનાથી ર વ્યકિતઓના મોતઃ નવા ૩ પોઝીટીવ કેસ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ૪ : કોરાનાની સારવાર દરમિયાન ગઇકાલે ર દર્દીઓના મોત નીપજયા હતા જિલ્લા કોરાનાથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૪૩ થયેલ છે. કોરાનાના નવા ૩ પોઝીટીવ કેસ આવ્યા છે જેમાં કડિયા પ્લોટમાં ૪૯ વર્ષના મહિલા અને ૭૯ વર્ષના વૃદ્ધ તેમજ કુતિયાણાના ખાગેશ્રીમાં પર વર્ષના  પુરૂષનો સમાવેશ થાય છે.જિલ્લા અત્યાર સુધીમાં કોરાનાના કુલ ૧૯૬૪૯ ટેસ્ટ કરવામાં આવેલ છે.ગઇકાલે ૪ દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.

(1:06 pm IST)