Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

સ્ત્રી નિકેતન-જામનગર નવરાત્રી મહોત્‍સવ

 જામનગર : મહિલા સંસ્‍થાસ્ત્રી નિકેતન દ્વારા એક દિવસીય નવરાત્રી મહોત્‍સવ  યોજવામાં આવેલ. આ પ્રસંગે મેયર બિનાબેન કોઠારી, લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, મહિલા અગ્રણીઓ સંતોષબેન મહેશ્વરી, શેતલબેન શેઠ, રેખાબેન વિજયભાઇ સંઘવી વિગેરેએ દિપ પ્રાગટય અને આરતી દ્વારા આ મહોત્‍સવનો પ્રારંભ કરાવેલ. આ મહોત્‍સવમાં ૧પ થી ૭પ વર્ષના બહેનોએ ભાગ લઇ અધ્‍ધર પધ્‍ધ ગરબા, તાળીરાસ, પંચીયા, ચોકડીરાસમાં હોશભેર ભાગ લીધો હતો. તો મેયર બીનાબેન પણ આ બહેનો સાથે ગરબે રમ્‍યા હતા. ર૦રરના આ નવરાત્રી મહોત્‍સવને સફળ બનાવવા સંસ્‍થાના પ્રમુખ રેખાબેન શાહ, મંત્રી આશાબેન સંઘવી, ખજાનચી હેમાબેન ત્રિવેદી, ભારતીબેન પટેલ, જયોતિબેન માધવાણી, ધારા શાહ, કિરણ પંડયા, ધ્‍વની મેતા, કિરણ જોષી, સંસ્‍થાના સલાહકાર જાગૃતિબેન બારાઇ, મિનાક્ષીબેન શાહ, પ્રયત્‍નશીલ રહયા હતા. સમગ્ર મહોત્‍સવનું સંચાલન કૃપાબેન ત્રિવેદીએ કરેલ, વિજેતા બહેનોને ઉપસ્‍થિતોના હસ્‍તે પુરસ્‍કૃત કરવામાં આવેલ સ્‍પર્ધાઓના જજ તરીકે ભાવનાબેન રાણા અને દર્શાબેન જોશીએ સેવા આપેલ. (તસ્‍વીર : વિશ્વાસ ઠક્કર)

(11:49 am IST)