Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

જામનગર સિંધી સમાજ દ્વારા રાવણદહનના કાર્યક્રમના સ્‍થળમા ફેરબદલી : પ્રણામી શાળા પાસેના મેદાનમાં આયોજન

જામસાહેબના જામનગર માં ૭ દાયકાથી પરંપરાગત રીતે આયોજિત વિજ્‍યાદશમી મહોત્‍સવ નરેન્‍દ્રભાઇ મોદી જનસભા સંબોધવાના હોવાથી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૪ : જામસાહેબના જામનગરમાં ૭ દાયકાથી પરંપરાગત રીતે આસો સુદ આધશકિતમાં જગદંબાના નવ નોરતા નવરાત્રી બાદ વિજ્‍યાદશમી મહોત્‍સવ ની ઉજવણી જામનગર સિંધી સમાજ દ્વારા કરવામાં આવે છે.જે સંદર્ભે ચુંટણીવર્ષ હોવાને અનુસંધાન જોગાનુજોગ દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી  આવનારી તારીખ ૧૦/૦૧૦/૨૦૨૨, મંગળવાર ના રોજ જામનગરના મેદાન ખાતે જનસભા સંબોધવાના હોવાથી જેની તૈયારી અગાઉ થી શરૂ થઈ જશે જે બાબત ને ધ્‍યાને લઈ આ વર્ષે રાવણદહનનું કાર્યક્રમ સ્‍થળ ફેરબદલી કરી શહેરના પ્રણામી શાળા પાસેના મેદાનમાં આયોજન કરવામાં આવ્‍યું છે જેની જામનગર ની સર્વે જનતા એ નોંધ લેવી.

સાથસાથે અસ્‍ત્‍ય પર સત્‍ય નો વિજય આ આદર્શ અને વિજયદિવસ માં તહેવારે સૌ જામનગરની જનતાને રામસવારી અને રાવણદહનના કાર્યક્રમ જોડાવવા અનુરોધ છે.જેમાં રામસવારી યાત્રા શહેરના નાનકપૂરી ખાતેથી પ્રારંભ થઈ શહેરના મુખ્‍ય માર્ગો પવનચક્કી - હવાઈચોક - બર્ધનચોક - ચાંદીબજાર - સજુબા શાળા - બેડીંગેઇટ - લીમડાલેન - જિલ્લા પંચાયત - મિગ કોલોની - હાથી કોલોની - પટેલ સમાજ - રણજીતનગર સર્કલ - હીરજી મિષાી રોડ અંતે પ્રણામી ગ્રાઉન્‍ડ સ્‍થળ પર આ મુજબ રામસવારી રૂટ પર કરશે ત્‍યારબાદ રાવણ દહન કાર્યક્રમ ઉજવણી કરવામાં આવશે તે સાથે ફરી એકવાર જામનગર સિંધી સમાજ દ્વારા આ વિજ્‍યાદશમી કાર્યક્રમ માં જામનગર ની સમગ્ર જનતા ને જોડાઈ ઉજવણી કરવા સિંધી સમાજ દ્વારા ભાવભર્યુ વિનયસભર અનુરોધ છે.

સાથસાથે અસ્‍ત્‍ય પર સત્‍યનો વિજય આ આદર્શ અને વિજયદિવસમાં તહેવારે સૌ જામનગરની જનતાને રામસવારી અને રાવણદહનના કાર્યક્રમ જોડાવવા અનુરોધ છે.જેમાં રામસવારી યાત્રા શહેરના નાનકપૂરી ખાતેથી પ્રારંભ થઈ શહેરના મુખ્‍ય માર્ગો પવનચક્કી - હવાઈચોક - બર્ધનચોક - ચાંદીબજાર - સજુબા શાળા - બેડીંગેઇટ - લીમડાલેન - જિલ્લા પંચાયત - મિગ કોલોની - હાથી કોલોની - પટેલ સમાજ - રણજીતનગર સર્કલ - હીરજી મિષાી રોડ અંતે પ્રણામી ગ્રાઉન્‍ડ સ્‍થળ પર આ મુજબ રામસવારી રૂટ પર કરશે ત્‍યારબાદ રાવણ દહન કાર્યક્રમ ઉજવણી કરવામાં આવશે તે સાથે ફરી એકવાર જામનગર સિંધી સમાજ દ્વારા આ વિજ્‍યાદશમી કાર્યક્રમમાં જામનગરની સમગ્ર જનતા ને જોડાઈ ઉજવણી કરવા સિંધી સમાજ દ્વારા ભાવભર્યુ વિનયસભર અનુરોધ છે.

   રામસવારી પ્રારંભ  બપોરે ૩ કલાકે નાનકપુરી સિંધી કોલોનીથી રામસવારી અંત સાંજે ૬ કલાકે પ્રણામી ગ્રાઉન્‍ડ ખાતે થશે.તેમ સિંધી સમાજ જામનગર દ્વારા જણાવ્‍યું છે.

(1:28 pm IST)