Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

દ્વારકા જિલ્લામાં ૪ કોરોના પોઝીટીવ

બીનકોવીડના એકનુ મૃત્યુઃ કુલ ૭૧ મોત

ખંભાળીયા, તા. ૪ :. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પરમ દિ' કોરોના પોઝીટીવ ૬ કેસ નવા નોંધાયા છે. જેમા ભાણવડમા બે, ખંભાળીયા ત્રણ અને કલ્યાણપુરમાં એક કેસ નોંધાયો છે. જ્યારે દ્વારકામાં એક પણ નવો કેસ નોંધાયો નથી.

જ્યારે દ્વારકા જિલ્લામાં ગઈકાલે એક સાથે ૧૩ દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા. જેમાં ભાણવડમાંથી ત્રણ, દ્વારકાના સાત, કલ્યાણપુરનો એક તથા ખંભાળીયાના બે મળી કુલ ૧૩ વ્યકિત સાજા થતા ડિસ્ચાર્જ થયા છે.

બીનકોવિડમાં એક વધુ દર્દીનું મૃત્યુ થતા નોનકોવિડ મોત ૬૨ અને કોવિડ મોત ૯ મળી કુલ ૭૧ના મોત થયા છે.

ગઈકાલે પણ હળવી ગતિ સાથે કોરોના પોઝીટીવ દર્દીઓની રફતાર ચાલુ રહી હતી. ગઈકાલે સમગ્ર જિલ્લામાં ચાર નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. ખંભાળિયામાં બે તથા ભાણવડ અને કલ્યાણપુરમાં એક એક નોંધાયા છે. જ્યારે દ્વારકામાં એક પણ કેસ નોંધાયો નથી. ગઈકાલે કલ્યાણપુરના બે તથા ભાણવડના એક એમ ત્રણ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા.

હરસિદ્ધિનગરમાં તથા ખત્રીવાડમાંથી નવા કેસો નિકળ્યા છે જ્યારે કલ્યાણપુરમાં હાલરડી ગામમાં તથા ભાણવડમા રાજનગર વિસ્તારમાં પોઝીટીવ કેસ નોંધાયા હતા.

દ્વારકા જિલ્લામા કોરોના પોઝીટીવ દર્દીને ડિસ્ચાર્જ થવાનુ પ્રમાણ વધતા હાલ સરકારી હોસ્પીટલ તથા હોમ આઈસોલેશનમાં માત્ર ૪૫ દર્દીઓ જ સમગ્ર જિલ્લામાં છે.

(1:07 pm IST)