Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સાવરકુંડલા પંથકનાં હરીભકતો દ્વારા ગઢડાનાં ડીવાયએસપીના વર્તન મુદ્દે આવેદન

સાવરકુંડલાઃ સ્વામી નારાયણ સંપ્રદાયના આસ્થાના પ્રતિક એવા ગઢડા મંદિરમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે કાનુની વિવાદ ચાલી રહયો છે. તેવામાં ગઢડા ડીવાયએસપી નકુમ દ્વારા મંદિરની ઓફીસમાં આવી આચાર્ય પક્ષના હરીભકતો સાથે ગેરવર્તન કરેલ જેના વિરોધમાં આચાર્ય પક્ષના સત્સંગીઓમાં ભારે રોષ પ્રસરી રહયો છે. સાવરકુંડલા પંથકમાં અગાઉ ડીવાયએસપી નકુમ સામે પગલા ભરવા સત્સંગીઓ દ્વારા આવેદનપત્રો અપાયા હતા તે સીલસીલો આગળ વધતા આજે વધુ નવ જેટલા ગામો કે જેમાં શેલણા-ઠુવી-વીરડી-કેરાળા (ધાર)-જુના સાવર-ધોબા-મોટા ભમોદ્રા-વાંશીયાળી અને ફિફાદના હરીભકતોએ ગઢડા મંદિરના પુર્વ ટ્રસ્ટી શ્રી ગોરધનભાઇ કાનાણીને સાથે રાખી મામલતદાર દેસાઇને આવેદન પત્ર આપી ડીવાયએસપી નકુમ દેવપક્ષના સંતો વિરૂધ્ધ કડક પગલા ભરવા રોષ સાથે માંગ કરી છે.

(12:41 pm IST)