Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

વાંકાનેર : કોળી સેના માંધાતા ગ્રુપ દ્વારા પ્રધાનમંત્રી આયુષ્માન ભારત કાર્ડનું વિતરણ

વાંકાનેર : કોળી સેના માંધાતા ગ્રુપ મોરબી જીલ્લા પ્રમુખ રમેશભાઈ મકવાણા દ્વારા જીનપરા વિસ્તારના જરૂરીયાત મંદ પરિવારને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત પાંચ લાખ રૂપિયાના કાર્ડ કઢાવી આપી ઘરે ઘરે જઇ દરેક બહેનોને વિતરણ કરેલ સમગ્ર જીનપરા વિસ્તારના ૨૦૫.પરીવારને આ યોજનાનો લાભ અપાવેલ થોડા સમય પેલા પણ રમેશભાઈ મકવાણાએ ૨૭૫.પરીવારને માંઅમ્રૃતમ યોજનાના કાર્ડ કઢાવી આપી ઘરે ઘરે જઇ વિતરણ કરેલ આ યોજના દ્વારા તાત્કાલિક ઓપરેશન કરવાનું થતાં તે પરિવારને તાત્કાલિક કાર્ડ કઢાવી આપી સ્ટર્લિંગ હોસ્પિટલમાં ઓપરેશન કરાવી આપેલ દરેક ડોકટર સાથે રમેશભાઈ મકવાણાએ કેન્સર જેવી બીમારીથી પીડાતા બહેનોને અને એમના પરીવારને હિંમત આપી દવાખાનામાં પણ મદદ કરી ઉમદા કાર્ય પાડ્યું છે. (તસ્વીર -અહેવાલ : મહમદ રાઠોડ -વાંકાનેર)

(11:30 am IST)