Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

જેતપુરમાં ચારણ-ગઢવી સમાજ દ્વારા કચ્છના ગઢવી યુવાનના મૃત્યુના જવાબદાર સામે પગલા લેવા આવેદન

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. પ : કચ્છના સમધોધા ગામે રહેતા ગઢવી યુવાન અરજણભાઇ ખેરાજભાઇ નામના યુવાનને પોલીસે સાત દિવસ સુધી ગોંધી રાખી અત્યાચાર ગુજારેલ યુવાનનું મોત થયુ હતું. ઉપરાંત અન્ય ર યુવાનોને પણ કોઇજાણ કર્યા વિના ગોંધી રાખેલ અને તેના ઉપર પછી ત્રાસ ગુજારેલ હોય ત્રણેને લોકઅપમાં રાખેલ જેમાંથી અરજણભાઇનું મોત નીપજેલ અને બિજા બે ને ગંભીર હાલમાં સારવાર માટે હોસ્પીટલે ખસેડેલ જયાં તેની  હાલત નાજુક છે.

આ બનેલ બનાવને અખીલ ભારતીય ચારણ ગઢવી મહાસભા (યુવા) તેમજ તાલુકા ચારણ ગઢવી સમાજે વખોળી કાઢી કાલે મામતલદારને અખીલ ભા.ચારણ ગઢવી સમાજ ઉપાડી તીર્થ કરદાન રોહડિયા તાલુકા પ્રમુખ કિશોરભાઇ ગઢવીની આગેવાનીમાં આવેદન પત્ર પાઠવ્યું હતું આ કાંડમાં સંડોવાયેલ તમામને પકડી પાડી સજા ફટકારવામાં આવે તેમજ પીડીતના પરીવારનું જીવનનીર્વાહ ચાલે તે માટે સહાય આપવામાં આવે તેવી માંગણી કરેલ હતી.

(12:57 pm IST)