Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

કલ્યાણપુરના ભોગાત ગામમાંથી મળેલા નવજાત મૃત બાળકનો ભેદ ઉકેલાયો

ગામના જ શખ્સે બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દેતાં તેનો નિકાલ કરવા સગીરાએ પાપ છુપાવવા મૃત બાળકને તરછોડી દીધુ હતુઃ બળાત્કારનો ગુનો નોંધાયો

ખંભાળિયા તા.પ : કલ્યાણપુરના ભોગાત ગામેથી બે દિવસ પુર્વે મૃત નવજાત મળી આવતાં કલ્યાણપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. જે અંગે પીએસઆઇ એફ.બી. ગગનીયા સહિતના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી આ મૃત નવજાત બાળક કેનું છે અને કોણ મુકી ગયુ તે દિશામાં સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં આસપાસના વિસ્તારમાં ડિલેવરી થઇ હોય તેવી મહિલાઓ ઉપર મહિલા પોલીસ સ્ટાફે નજર રાખતાં બાતમી મળેલ હોય કે ગામની જ એક સગીરા મૃત નવજાત બાળકને ત્યાં મુકી ગઇ હોવાનું જાણવા મળતા વુમન્સ સ્ટાફે સગીરાને પુછપરછ હાથ ધરતા અંતે આ બાળક ગામના જ ભાવેશ જેન્તીભાઇ દાવદ્રા નામના યુવક સાથે પ્રેમ  સબંધમાં શારિરીક સબંધ દરમિયાન રહી ગયુ હોવાથી આબરૂ જવાની બિકે અધુરા મહિને જ ડિલેવરી કરાવતા નવજાત બાળકનું મોત નીતજયું હતુ. આથી આ પાપ છુપાવવા માટે તેણીએ મૃત હાલતમાં ત્યાં મુકી દીધુ હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.

સમગ્ર મામલો સામે આવતાં બનાવના પગલે સગીરાના પિતાએ ભોગાત ગામના જ ભાવેશ દાવદ્રા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેણી પુત્રીને ભાવેશ લગ્નની લાલચ આપી તેણીનું અપહરણ કરી પોતાના ઘરે લઇ જઇ અવાર નવાર બળાત્કાર ગુજારી ગર્ર્ભ રાખી દીધો હતો અને આ બાબતે કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરીયાદના આધારે કલ્યાણપુર પોલીસે ભાવેશ જેન્તીભાઇ દાવદ્રા વિરૂધ્ધ પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ દ્વારકા પીઆઇ પી.બી. ગઢવી ચલાવી રહયા છે.

(1:01 pm IST)