Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

જામનગરના વોર્ડ નંબર ૯ માં બહારના વ્યક્તિઓને ભાજપ દ્વારા ટિકિટ અપાતા મામલો સી.આર.પાટીલ સુધી પહોંચ્યો : સ્થાનિક વ્યક્તિ ને ટિકિટ ફાળવવા રજૂઆત

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર:::જામનગરના વોર્ડ નંબર ૯ માં બહારના વ્યક્તિઓને ભાજપ દ્વારા ટિકિટ અપાતા મામલો સી.આર.પાટીલ સુધી પહોંચ્યો છે સ્થાનિક વ્યક્તિ ને ટિકિટ ફાળવવા રજૂઆત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના વોર્ડ નંબર નવ માં ચારમાંથી ત્રણ ટિકિટ વોર્ડના બહારના લોકોને આપવામાં આવી છે. જેની સામે સ્થાનિક આગેવાનો રમેશભાઈ ચૌહાણ , સુનિલભાઈ આસર , દિનેશભાઈ આલ(રબારી), સંજયભાઈ આસર , હરીશભાઇ ગઢવી, ચંદ્રવદનભાઈ ત્રિવેદી સહિતનાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ને પત્ર પાઠવીને સ્થાનિક લોકોની ટિકિટ આપવા માંગણી કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે આ વિસ્તારમાં ૨૬૦૦૪ મતમાંથી ૭૩૦૦ લીમડાલાઈન , ગુરુદ્વારા મત વિસ્તારના પટ્ટામાંથી એક પણ ટિકિટ ફાળવવામાં આવેલ નથી ગયા વખતે પણ આ વિસ્તારને અન્યાય થયો હતો આ વખતે પણ અન્યાય થયો છે અન્યાય દૂર કરીને ટિકિટ આપવા માંગણી કરી છે જેથી ધારાસભા અને સંસદ સભા માં પણ આ વિસ્તારમાંથી ભાજપને મત મળે. તેમ અંતમાં જણાવ્યું હતું.

(4:06 pm IST)