Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

જુનાગઢના સ્વાતંત્ર્ય સેનાની કનકભાઇનું નિધનઃ દીવ મુકિત સંગ્રામમાં જેલવાસ ભોગવેલ

જુનાગઢ તા. ૪: સ્વાતંત્ર્ય સેનાની કનકભાઇ ભવાનીશંકર ઉપાધ્યાય-જુનાગઢ (ઉંમર વર્ષ ૮૩) નું તા. ૪ના રોજ દેહાંત થયેલ છે. તેમણે દિવ મુકિત સંગ્રામમાં ર૧ વર્ષની ઉંમરે ભાગ લઇ ૬ મહિના જેલવાસ ભોગવ્યો હતો. ઉપરાંત તેમણે રામ મનોહર લોહિયા, સનતચંદ્ર મહેતા, જશવંત મહેતા, રસિકચન્દ્ર આચાર્ય, શ્રી જયપ્રકાશ નારાયણ સાથે ઉત્સાહ પૂર્વક પ્રેરિત થઇ અનેક ચળવળમાં ભાગ લઇ સત્યાગ્રહો કર્યા હતા. તે સંગ્રામના હાલ સુધી હયાત એક માત્ર સ્વાતંત્ર્ય સેનાની હતાં.

(11:58 am IST)