Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

જામનગરના વિવિધ વિસ્તારોમાં યોજાયેલ કેમ્પની મુલાકાત લઇ રકતદાતાઓને પ્રોત્સાહિત કરતા જાડેજા તથા માડમ

જામનગર,તા.૫ :  સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં ૧૩,  ૧૪ તથા વોર્ડ નં. ૧૫ ખાતે રકતદાન કેમ્પનું આયોજન હાથ કરવામાં આવ્યુ હતું. જે રકતદાન કેમ્પની રાજયમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદશ્રી પૂનમબેન માડમે મુલાકાત લીધી હતી તેમજ રકતદાન કરનારા નાગરિકોને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.

રાજયમંત્રીશ્રીએ આ તકે જણાવ્યું હતું કે જી.જી. હોસ્પિટલના ગંભીર તથા અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી વિનામૂલ્યે લોહી મળી રહે તેમજ કોરોના મહામારીમાં બ્લડની અછતને પહોંચી વળવા બ્લડ ડોનેશન કેમ્પના આ પ્રકારના આયોજનો લોહીની જરૂરિયાતને પહોંચી વળવા મહત્વના સાબિત થશે.

મંત્રીશ્રી તથા સાંસદશ્રીએ બ્લડ ડોનેશન કેમ્પના સ્થળે નાગરિકો તથા આગેવાનો સાથે બેઠક કરી સંવાદ કર્યો હતો તેમજ મહામારીના આવા કપરા સમયમાં આ પ્રકારનું લોક સેવાનું કાર્ય હાથ ધરી સમાજને મદદરૂપ થવા બદલ સૌને અભિનંદન

(1:22 pm IST)