Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જસદણની વૈષ્‍ણવ હવેલીમાં રથયાત્રાના ભવ્‍ય દર્શન યોજાયા

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૫: તાજેતરમાં અષાઢી બીજ રથયાત્રાના દિવસે પુષ્ટિમાર્ગીય વૈષ્‍ણવ સંપ્રદાયની શ્રી ગોવર્ધનનાથજીની તથા શ્રી બાલકૃષ્‍ણ લાલજીની હવેલીમાં રથયાત્રાનાં ભવ્‍ય દર્શન યોજાયા હતા. હવેલીના મુખ્‍યાજી ઘનશ્‍યામભાઈ જોશી દ્વારા ઠાકોરજીને ચાંદીના કલાત્‍મક રથમાં પધરાવવામાં પધરાવીને રથયાત્રાના દર્શન કરાવવામાં આવ્‍યા હતા. મોટી સંખ્‍યામાં વૈષ્‍ણવોએ દર્શનનો લાભ લીધો હતો.

હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલ નાં માર્ગદર્શન હેઠળ ટ્રસ્‍ટીઓ ભરતભાઈ જનાણી, મંત્રી ધર્મેશભાઈ કલ્‍યાણી, સહમંત્રીઓ નિલેશભાઈ રાઠોડ તથા સાગરભાઇ દોશી, ટ્રસ્‍ટીઓ ભરતભાઇ ધારૈયા, હસુભાઈ ગાંધી, બટુકભાઈ તન્ના, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા અને કમલેશભાઈ ચોલેરા, ખજાનચી ચંદુભાઈ વડોદરીયા સહિતના લોકોએ ફરજ બજાવી હતી.

(12:08 pm IST)