Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ભાવનગરના કોરોનાના ૧૭ કેસ : ૪૫ ડિસ્‍ચાર્જ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૫: ભાવનગરમાં કોરોનાના કેસો સતત નોંધાઈ રહ્યા છે.

 ભાવનગર શહેરમાં ૧૬ અને ગ્રામ્‍ય માં એક મળી કુલ ૧૭ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્‍યારે ભાવનગર શહેરમાંથી ૪૩ અને ભાવનગર ગ્રામ્‍યમાંથી બ૨ દર્દીઓ મળી કુલ ૪૫ દર્દીઓ કોરોના મુક્‍ત થતાં તેઓ ડિસ્‍ચાર્જ થયેલ છે. હવે ભાવનગર જિલ્લામાં કોરોનાના એક્‍ટિવ દર્દીઓની સંખ્‍યા ૭૨ રહેવા પામી છે.

 ભાવનગર શહેરના માલધારી સોસાયટી, શિક્ષક સોસાયટી, કૈલાસ સોસાયટી, પ મારુતિ નગર, શ્રીનાથજી નગર, ખેડૂતવાસ, તિલકનગર, આનંદ નગર, માઢીયા રોડ અને કાળીયાબીડ -સાગવાડી વિસ્‍તારમાં કોરોનાના દર્દીઓ નોંધાયા છે. જ્‍યારે ભાવનગર ગ્રામ્‍યમાં કોરીયાક ગામે એક કેસ નોંધાયો છે.

(11:07 am IST)