Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ધ્રોલમાં કાલે બ્રહ્મસમાજ અગ્રણી ડો.ઉષાકાંતભાઇ શુકલનાં સ્મરણાર્થે રકતદાન શિબીર

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ,તા. ૫ : ધ્રોલ બ્રહ્મસમાજના અગ્રણી સ્વ.ડો.ઉષાકાંતભાઇ એસ.શુકલના સ્મરણાર્થે તા. ૬/૭/૨૦૨૨ના રોજ સાંજે ૩:૩૦ થી ૭:૩૦ સુધી જૈન દેરાસર (વાણંદશેરી) ખાતે રકતદાન શિબીર યોજવામાં આવેલ છે.

આ રકતદાન શિબિરનું આયોજન ડો.ઉષાકાંતભાઇ શુકલના પરિવાર, જૈન તીર્થક્ષેત્ર અને બાલાજી મિત્ર મંડળના સહયોગથી કરવામાં આવેલ છે.

આ રકતદાન શિબિરમાં જામનગરની જી.જી.હોસ્પિટલની ટીમ સેવા આપશે. આયોજકો તરફથી શહેરના યુવાનોને આ શિબીરનો લાભ લેવા વિનંતી કરવામાં આવેલ છે. એકત્ર થયેલ રકતની બોટલો જી.જી.હોસ્પિટલ ખાતેથી જરૂરીયાત મંદ દર્દીઓને વિનામૂલ્યે ફાળવવામાં આવે છે.

(1:49 pm IST)