Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ભાવનગરમાં કોરોનાના વધતા કેસથી ફફડાટ : નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા

બોરડીગેટ, પ્રભુદાસ તળાવ, કાળીયાબીડ , પીરછલ્લા શેરી વિગેરે વિસ્તારોમાં ફુલ 22 લોકોના રિપોર્ટ પોઝિટિવ

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :ભાવનગરમાં કોરોનાવાયરસ ની રફતાર વધી છે. આજે ભાવનગર શહેરમાં 22 લોકો કોરોના સંક્રમિત થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.
ભાવનગર શહેરમાં કોરોના ના કેસો વધતા લોકો માં ફરી કોરોના એ ચિંતાની લાગણી ફેલાઇ છે. આજે શહેરના વિવિધ વિસ્તારો બોરડીગેટ, પ્રભુદાસ તળાવ, કાળીયાબીડ , પીરછલ્લા શેરી વિગેરે વિસ્તારોમાં ફુલ 22 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજે ભાવનગર ગ્રામ્ય માં કેસ નોંધાયો નથી અને ભાવનગર ગ્રામ્ય થી ત્રણ દર્દીઓ થયેલ છે. હવે ભાવનગર જિલ્લામાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 91 થવા પામી છે.

(8:27 pm IST)