Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ગોંડલમાં ગાંજાનો જથ્થો વેચવા આવેલ અમરેલી પંથકમાં બે ને રૂરલ એસઓજીએ ઝડપી લીધા

એજાજ કાલવા અને જીજ્ઞેશ પરમારની ધરપકડઃ નવનિયુકત પીઆઇ સંજયસિંહ તથા સ્ટાફનો દરોડો

તસ્વીરમાં પકડાયેલ બન્ને શખ્સો (નીચે બેઠેલા) સાથે રૂરલ એસઓજીનો સ્ટાફ તથા રીક્ષા નજરે પડે છે.

રાજકોટ તા. ૪ :.. ગોંડલમાં ગાંજાનો જથ્થો વેચવા આવેલ અમરેલી પંથકના બે શખ્સોને રૂરલ એસઓજીએ ઝડપી લીધા હતાં.

જીલ્લામાં નાર્કોટીકસના કેસો શોધી કાઢવા રૂરલ એસ.પી. બલરામ મીણાએ આપેલ સુચના અન્વયે રૂરલ એસઓજીના નવનિયુકત પી.આઇ. એસ. એમ. જાડેજા, પીએસઆઇ એચ. એમ. રાણા તથા પીએસઆઇ જી.જે. ઝાલા સહિતનો સ્ટાફ ગોંડલ પંથકમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે રૂરલ એસઓજીના હેડ કો. જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેષભાઇ અગ્રાવત તથા પો. કો. રણજીતભાઇ ધાંધલને મળેલ બાતમી આધારે વોચ ગોઠવી ગોંડલમાં રીક્ષામાં ગાંજાનો જથ્થો વેચવા નીકળેલા એઝાઝ મહમદભાઇ કાલવા રે. બહારપરા મંડોરા શેરી અમરેલી તથા જીજ્ઞેશ આણંદભાઇ પરમાર રહે. દાડયા ગામ તા. લીલીયાને ગાંજાનો જથ્થો ૧ કિલો ૯૦૦ ગ્રામ કિ. ૧૯૦૦૦, રીક્ષા તથા બે મોબાઇલ મળી કુલ રૂ. ૭ર,૯૯૦ ના મુદામાલ સાથે પકડી પાડી ગોંડલ પોલીસના હવાલે કર્યા હતાં.

પોલીસ પુછતાછમાં ઉકત બન્ને શખ્સો ગાંજાનો જથ્થો વેચવા આવ્યાની કબુલાત આપી હતી. આ બન્ને શખ્સો કોને ગાંજાનો જથ્થો આપવાના હતાં ? તે અંગે પોલીસે છાન્નભિન્ન શરૂ કરી છે.

આ કાર્યવાહીમાં રૂરલ એસ. ઓ. જી.ના  પો. કો. વિજયગીરી ગોસ્વામી, મ.પો.કો. નિરાલીબેન વેકરીયા તથા જયપાલસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(12:54 pm IST)