Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

મોરબીના રફાળેશ્વર મંદિરે પૂજાપાઠ માટે બેસનાર ભૂદેવોએ વેક્સીન લેવી ફરજીયાત:રસીના સર્ટીફીકેટની નકલ સાથે મેનેજરનો સંપર્ક કરવા અનુરોધ

ભૂદેવોએ કોરોના વેક્સીન લીધાના સર્ટીફીકેટ નકલ અને આધાર કાર્ડ નકલ ઉપરાંત પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે રફાળેશ્વર મંદિરના મેનેજરનો સંપર્ક કરવો

 

પવિત્ર શ્રાવણ માસ શરુ થવાનો છે ત્યારે મોરબીના રફાળેશ્વર મંદિરે પૂજાપાઠ માટે બેસવા ઈચ્છુક ભૂદેવોએ રસી મુકાવવી ફરજીયાત છે જેથી રસીના સર્ટીફીકેટની નકલ સાથે મેનેજરનો સંપર્ક કરવા જણાવ્યું છે
 મહારાજા શ્રી લખધીરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટ સંચાલિત શ્રી રફાળેશ્વર મહાદેવ મંદિર કમિટીની યાદી જાણે છે કે દર શ્રાવણ માસમાં બ્રાહ્મણોને મંદિરે રહીને પૂજાપાઠ કરવા દેવામાં આવે છે આગામી તા. ૦૯ થી શ્રાવણ માસ શરુ થાય છે જેથી મંદિરમાં રૂમોમાં રહીને પૂજા પાઠ કરવા ઈચ્છતા હોય તેવા ભૂદેવોએ કોરોના વેક્સીન લીધાના સર્ટીફીકેટ નકલ અને આધાર કાર્ડ નકલ ઉપરાંત પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે રફાળેશ્વર મંદિરના મેનેજરનો સંપર્ક કરવા જણાવ્યું છે તા. ૦૮ ઓગસ્ટના રોજ બપોર સુધીમાં મેનેજરનો સંપર્ક કરવા જણાવ્યું છે

(9:21 pm IST)