Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ચોટીલામાં વિજયભાઇના જન્મદિને ૬૫ હજાર વૃક્ષોનું વાવેતર

ચોટીલા : ચોટીલાઃ શ્રી ચામુંડા માતાજી યુવા ગ્રુપ તથા સામાજીક વનીકરણ વિભાગ સુરેન્દ્રનગર જીલ્લાના સહયોગથી ૨ ઓગસ્ટ ના રોજ રાજયના જનપ્રિય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના જન્મદિવસ નિમિતે એક જ દિવસમાં ચોટિલા શહેર તથા તાલુકાના ગામોમાં ૬૫,૦૦૦ વૃક્ષોનું વાવેતર કર્યુ હતું.'મુખ્યમંત્રી એ વિડિયો સંદેશથી કાર્યક્ર્મ માટે અભિનંદન પાઠવ્યા હતા. આ ઐતિહાસિક કાર્યક્રમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં પણ સ્થાન મળશે. પ્રદેશ યુવા ભાજપના મંત્રી જય શાહ તથા સંસ્થાના પ્રમુખ બળવિરભાઇ ખાચર બંને યુવાનોના નેતૃત્વમાં ચોટીલા શહેર તથા ગામોની અનેક સંસ્થાઓ આ ઐતિહાસિક કાર્યક્રમમાં સહભાગી બનીને ચોટીલામાં એક લોક જુંબેશ ઉભી કરી ઙ્કઆપણું ચોટિલા હરિયાળું ચોટીલાઙ્ખ ના મંત્ર સાથે લોકો મુખ્યમંત્રીશ્રી ના જન્મદિવસને કંઇક અલગ રીતે ઉજવવાની નેમ સાથે જોડાયા. આ કાર્યક્રમને સફળ બનાવા માટે વિવિધ સંસ્થાઓ એ આ મહાયજ્ઞ માં આહુતિ આપી . આ કાર્યક્રમ માં પ્રસિદ્ઘ મોટીવેશનલ સ્પીકર સંજયભાઇ રાવલ, ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખશ્રી પ્રશાંતભાઇ કોરાટ,જીલ્લા ભાજપાના મહામંત્રી શ્રી અનિરુદ્ઘસિંહ પઢીયાર, જયેશભાઈ પટેલ,DFO સુરેન્દ્રનગર શ્રી વિષ્ણુભાઈ દેસાઈ, જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શ્રી મેરૂભાઈ ખાચર, સુરેશભાઈ ધરજીયા, ચોટીલા રાજવી પરિવારના મહાવીરભાઈ ખાચર, ગુજરાત રાજય યુવક બોર્ડના જીલ્લા સયોંજક ભવાનસિંહ ટાંક, સ્થાનિક અગ્રણી નરેશભાઈ મારું, આંબાભાઇ ઓલકીયા સહીતના લોકો ઉપસ્થિત રહ્યા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચામુંડા માતાજી યુવા ગ્રૂપના ભુપતભાઈ ધાધલ ,ચિરાગભાઈ શાહ, અરજણભાઇ ખાંભલા, કુલજીતભાઈ ખાચર, વાઘાભાઈ રબારી,પ્રવીણભાઈ જાંબુકિય, મોહિતભાઇ પરમાર, રસિક મેટાલિયા,મંગળુંભાઈ ઢોકળવા, પ્રવીણભાઈ જાંબુકિયા,કિશોરભાઈ ડેરવાળીયા, કમલ મેર સહિતના મિત્રોએ આયોજન કરેલ હતુ.

(11:41 am IST)