Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

જામનગરમાં ૧૯૭૧ના યુધ્ધના વિજયની ૫૦ વર્ષની ઉજવણી : બલિદાનનું પ્રતીક સમી વિજય જ્યોત સાથે જામનગર પહોંચી : લાખોટા તળાવ ખાતે યુધ્ધમાં શહીદ થયેલા શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ : ભારત માતા કી જય ના નારા લાગ્યા

જામનગર : ૧૯૭૧ના યુદ્ઘના વિજયની ૫૦ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જાટ રેજીમેન્ટ ખાસ આ પ્રસંગે બલિદાનનું પ્રતીક સમી વિજય જયોત સાથે જામનગર આવી પહોંચી હતી. અને લાખોટા તળાવ ખાતે યુદ્ઘ માં શહીદ થયેલા શહીદોને શ્રદ્ઘાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જામનગર આર્મી સ્ટેશનથી લાખોટા તળાવ ખાતે વિજય મશાલ લઈ આવવામાં આવી હતી.જયાં આર્મીના સૈન્ય જવાનોએ સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવ્યો હતો. અને લાખોટા તળાવની પાળે 'ભારત માતા કી જય'ના નારા લાગ્યા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(12:47 pm IST)