Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

મહિલા ઉત્કર્ષ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવી વિકાસમાં નારાયણીના પ્રદાનને જોડવા રાજ્ય સરકાર તત્પર છે : ધર્મેન્દ્રસિંહ જાડેજા

પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ, સૌના વિકાસના ટાઉનહોલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતીમાં નારી ગૌરવ દિવસની ઉજવણી કરાઇ : મહિલા ઉત્કર્ષ યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ તેમજ ૧૦ આંગણવાડીઓના ખાતમુહૂર્ત -લોકાર્પણ કરાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર,તા.૫ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના સફળ નેતૃત્વ હેઠળ સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજયમાં કલ્યાણકારી યોજનાઓના લોકોને મળતા લાભો સાથે ગુજરાતની ગૌરવપૂર્ણ વિકાસયાત્રાને આવરી લેતી પ્રજાલક્ષી યોજનાઓના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

આ પ્રસંગે મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ નારીશકિતને વંદન કરતા કહ્યું હતું કે, નારી શકિત મહાન છે પરિવારમાં પણ નારીના પ્રદાનથી જ પરિવારનો વિકાસ થાય છે તેવી જ રીતે રાષ્ટ્રના વિકાસ અને રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવા માટે પણ મહિલાઓને આત્મનિર્ભર બનવું આવશ્યક છે ત્યારે મહિલાઓના આત્મનિર્ભર બનવાના સ્વપ્નને રાજય સરકારે આર્થિક સ્વનિર્ભરતા માટેની વિના વ્યાજની સહાય આપીને પૂર્ણ કર્યું છે. મહિલાઓ કોઈપણ અડચણ વગર દરેક ક્ષેત્રે પ્રગતિ કરે તે માટે તેમને લોન, ધિરાણ, રોજગારલક્ષી યોજનાઓ, વિવિધ ક્ષેત્રમાં મહિલાઓની વધુમાં વધુ સામેલગીરી કરી રાજય સરકારે મહિલા સશકિતકરણમાં આગવી ભૂમિકા ભજવી છે. મહિલા ઉત્કર્ષ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવી વિકાસમાં નારાયણીના પ્રદાનને જોડવા રાજય સરકાર તત્પર છે.

છેલ્લા પાંચ વર્ષમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની આગેવાનીમાં ગુજરાતના વિકાસએ વેગ પકડ્યો છે. ગુજરાત એ આજે ગ્રોથ એન્જિન બન્યું છે જેમાં આપણી સરકાર દ્વારા આરોગ્યની સવલતો, રસ્તાની સુવિધાઓ, ગામેગામ શાળાઓ અને ચોવીસ કલાકની વિજળી થકી લોકોની સુખાકારી વધી છે. રાજનેતાનો ધર્મ લોકોના સુખે સુખી અને લોકોના દુઃખે દુઃખી થવાનો છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાચા અર્થમાં રાજનેતા સાબિત થયા છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વડોદરા ખાતેના રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રીશ્રીએ ગંગા સ્વરૂપા પુનઃલગ્ન સહાય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.

આ તકે મેયર શ્રીમતી બીનાબેન કોઠારીએ મહિલા ઉત્કર્ષ માટેની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી તેમજ મહિલા સશકિતકરણ દ્વારા રાજયના વિકાસને વધુ વેગ મળશે તેમજ આંગણવાડીના નિર્માણ થકી બાળકોના જીવનનું દ્યડતર વધું સારું થશે તેમ જણાવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા દ્વારા નારી શકિતની ગરિમા અને રાષ્ટ્રીય વિકાસમાં નારીના પ્રદાનની આછેરી ઝલક આપવામાં આવી હતી તો જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ દ્વારા જામનગરના વિકાસ કાર્યો અને યોજના લગત બાબતોની જાણકારી આપવામાં આવી હતી.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી તપનભાઈ પરમાર, શાસક પક્ષના નેતાશ્રી કુસુમબેન પંડયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઇ મુંગરા, શહેર પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, સંગઠન પ્રભારી શ્રી અભયસિંહ ચૌહાણ, મહામંત્રીશ્રીઓ પ્રકાશભાઇ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, કલેકટરશ્રી સૌરભ પારદ્યી, નાયબ મ્યુનિ. કમિશનરશ્રી વસ્તાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી રાયજાદા, આસિ. કમિશનરશ્રી ભાર્ગવ ડાંગર, પ્રાંત અધિકારીશ્રી આસ્થા ડાંગર, વિવિધ બેંકના અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:49 pm IST)