Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

મોરબી તાલુકામાં ત્રણ આંગણવાડી કેન્દ્રમાં લોકાપર્ણ કાર્યક્રમ યોજાયા

સુશાસનના પાંચ વર્ષની ઉજવણી ચાલી રહી છે જેમાં મોરબી તાલુકાની જુદી જુદી ત્રણ આંગણવાડી કેન્દ્રના લોકાપર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા
મોરબી તાલુકાના મોરબી ઘટક ૨ ના આઈસીડીએસ વિભાગ હેઠળ આવતી નઝરબાગ, ભડિયાદ અને લાલપર આંગણવાડી કેન્દ્રના લોકાપર્ણ કાર્યક્રમ યોજાયા હતા જેમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડો. દીપિકાબેન સરડવા, જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, જીજ્ઞેશભાઈ કૈલા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

(7:28 pm IST)