Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ભાવનગરમાં વધુ ૫૩ કોરોના પોઝીટીવ કેસ : ૬૯ દર્દીઓ બન્યા કોરોનામુકત

જિલ્લામાં નોંધાયેલ ૩,૦૫૦ કેસો પૈકી ૫૮૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર,તા.૫: ભાવનગર જિલ્લામા વધુ ૫૩ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૦૫૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં કુલ ૧૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૮ અને તાલુકાઓના ૩૧ એમ કુલ ૬૯ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૩,૦૫૦ કેસ પૈકી હાલ ૫૮૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૨,૪૧૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:37 am IST)