Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

જુનાગઢ મ.ન.પા. કર્મચારીઓને કોરોના વોરીયર્સના મળતા લાભ આપો

કોંગી કોર્પોરેટર મંજુલાબેન પણસારા દ્વારા મેયર અને મ્યુ. કમિશ્નરને રજુઆત

જુનાગઢ, તા., ૫: મહાનગર પાલીકા જુનાગઢ કચેરી લોકડાઉનમાં પણ સતત કાર્યરત હતી અને હાલ પણ પ્રજાલક્ષી તમામ સેવા ફરજ પરના તમામ કર્મચારીઓ પોતાને સોંપેલ ફરજ બજાવે છે જે મુજબ મહાનગર પાલીકાના કર્મચારી અરવિંદભાઇ નવતમભાઇ ભટ્ટનું કોરોનાને કારણે અવસાન થયેલ છે તેઓને કોરોના વોરીયર્સને મળતા લાભો આપવા તથા મહાનગર પાલીકાના તમામ કર્મચારીઓને પણ કોરોના વોરીયર્સને મળતા લાભો મળી રહે તેની વોર્ડ નં. ૪ના કોંગી કોર્પોરેટર મંજુલાબેન પણસારા દ્વારા મેયર અને મ્યુ. કમિશ્નર દ્વારા રજુઆત કરવામાં આવી છે.  આ અંગે પાઠવેલ પત્રમા઼ જણાવ્યું હતુ કે  મહાનગર પાલીકા જુનાગઢમાં સ્ટ્રીટ લાઇટ શાખામાં કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા અરવિંદભાઇ નવતમભાઇ ભટ્ટને કોરોનાને કારણે અવસાન થયેલ છે. ગુજરાતમાં કોરોના વોરીયર્સને કોરોનાના કારણે મૃત્યુ થાય તો ગુજરાત સરકાર તરફથી જે પણ સહાય મળે છે તે તમામ સહાય અથવા તો તેમને આનુસંગીક મળવા પાત્ર સહાય અરવિંદભાઇ નવતમભાઇ ભટ્ટને મળે તેવી માંગ કરી છે.

(12:53 pm IST)