Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

જુનાગઢના માખળીયામાં સાંત્વના વિકલાંગ વિકાસ મંડળ દ્વારા વિકલાંગ દિકરીઓ માટે ભવન બનશેઃ ભૂમિ પૂજન

જુનાગઢ તા. પ : સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ જુનાગઢ સુરતના પ્રખ્યાત શ્રીમતી કાશીબા હરિભાઇ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે પ્રમુખ કેશુભાઇ હરિભાઇ તથા પ્રવિણભાઇ ગોરધનભાઇ ગોટીની પ્રેરણાથી ભવનનું ભૂમિ પૂજનના અવસરનું આયોજન કરવામાં આવ્યું હતું.

માખીયાળામાં ૧૦૦ વિકલાંગ દીકરીઓ માટે અદ્યતન ભવન બનશે. સંચાલક નીલમબેન -રેખાબેન પરમાર જણાવ્યુ કે તેમની સંસ્થામાં નિઃશુલ્ક ૧૦૦ વિકલાંગ દીકરીઓ માટે ભવનનું નિર્માણ કરવામાં આવશે.

આ નિમિતે સદાનંદ બાપુ-ચાંપરડા ધામ, જુનાગઢના કમિશનર તુષાર સુમેરા, બાંધકામના દાતા નાગજીભાઇ તથા રોહિતભાઇ, ધારાસભ્યશ્રી ભીખાબાપા જોષીના સુપુત્ર મનોજભાઇ જોષી, લોકગાયક રાજૂભાઇ ભટ્ટ, ગીજુભાઇ વિક્રમા બાબુબાપા ગજેરા, મનસુખભાઇ વાજા, જજશ્રી અટોદરીયા તથા સિંઘલ, સી.ડબલ્યુ. સી.ના ચેરમેન રમીલાબેન કથીરીયા, ડી. સી. પી. યુ. કિરણબેન, રાકેશભાઇ ધુલીશીયા ચેરમેન સ્ટેન્ડીંગ કમીટી, ભરતભાઇ વાંક, બીપીનભાઇ વિગેરે મહાનુભાવો હાજર રહ્યા હતાં.

(12:57 pm IST)