Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા: રણોત્સવ માટે 1200થી વધુ બુકિંગ: 12 નવેમ્બરથી થશે શરૂઆત

મોટાભાગે મુંબઈ-પુણે સુરત અને અમદાવાદના લોકોનું બુકીંગ : રાજકોટ, સુરત જેવા શહેરમાંથી પિકઅપ-ડ્રોપની વ્યવસ્થા

અમદાવાદ : કોરોના વાયરસની મહામારી વચ્ચે  પ્રવાસ પ્રેમી માટે 12 નવેમ્બરથી કચ્છ રણોત્સવની શુરુઆત થશે અત્યાર સુધી કચ્છ રણોત્સવમાં 1200થી પણ વધારે લોકોએ બુકિંગ કર્યું છે.

રણોત્સવનું બુકિંગ શરૂ થતાં ઘણા સમયથી બંધ રહેલી ટ્રાવેલ્સ કંપનીઓને પણ આશા જાગી છે. કચ્છ રણોત્સવ જવા માંગતા ગુજરાતીઓ માટે બુકિંગ ઑફર પણ શરૂ કરવામાં આવી છે. કચ્છ રણોત્સવ માટે આ વર્ષે 1200થી પણ વધારે લોકોએ બુકિંગ કર્યું છે, જેમાં મોટાભાગે મુંબઈ-પુણે સુરત અને અમદાવાદના લોકો હોવાનું સામે આવ્યું છે.

 આ અંગે જણાવતા અક્ષર ટ્રાવેલ્સના મનીષ શર્મા કહે છે કે, ગુજરાતીઓ ગુજરાતને છોડીને બહાર જવા તૈયાર ન થાય એ માટે અમે સ્કીમ શરૂ કરી છે. આ માટે કંપની પ્રવાસીઓને રાજકોટ, સુરત જેવા શહેરમાંથી પિકઅપ-ડ્રોપની વ્યવસ્થા પણ આપશે. આ સિવાય એરવેઝ સાથે મળીને અમદાવાદ ભુજની ફ્લાઇટ શુરૂ થાય તેવી પણ વિચારણા છે.

(1:25 pm IST)