Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

જામનગરમાં વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા ગરબી મંડળમાં શસ્ત્ર પૂજન

જામનગર :  વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા સુભાષ શાક માર્કેટ પાસે આવેલ ભોઈ સમાજ સંચાલિત શ્રી અંબિકા ગરબી મંડળ ખાતે શષાપૂજન કરવામાં આવ્‍યું હતું. વિશ્વ હિન્‍દુ પરિષદ, માતૃ શકિત, દુર્ગા વાહિની દ્વારા હિન્‍દુ સંસ્‍કૃતિ મુજબ માં નવરાત્રિમાં શક્‍તિની આરાધના શષાોના પૂજનનો જામનગરની ગરબીઓમાં જઇને કાર્યક્રમ યોજાયા હતા. નવમા નોરતે શ્રી અંબિકા ગરબી મંડળ ખાતે સ્‍વામી નારાયણ સંપ્રદાયના પૂ. ચત્રભુજ સ્‍વામી, વિશ્વ હિન્‍દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્‍યક્ષ ભરતભાઈ મોદી, જામનગર જિલ્લાના વિ.હી.પ.ના અઘ્‍યક્ષ ભરતભાઈ ડાંગરીયા, વિદ્યાભારતીના ગિરીશભાઈ બુદ્ધદેવ, વિહિપના ઉપાધ્‍યક્ષ રમેશભાઈ તારપરા,. સુબ્રમણયમભાઈ પિલ્લે, મંત્રી ધર્મેશભાઈ ગોંડલિયા, જિલ્લા સહમંત્રી હેમંતસિંહ જાડેજા, જિલ્લા પ્રચાર પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્‍પેનભાઈ રાજાણી, મહિલા વિભાગના સંયોજીકા હીનાબેન અગ્રાવત, સ્‍વરૂપબા જાડેજા, દુર્ગા વાહીનીના કૃપાબેન લાલ, અલકાબેન ટંકારિયા ઉપરાંત બ્રિલીયન્‍ટ સ્‍કૂલના અશોકભાઈ ભટ્ટ, અશોકભાઈ ત્રિવેદી, કોર્પોરેટર પૃથ્‍વીરાજસિંહ સહિતના અગ્રણીઓ અને ગરબી મંડળના આયોજકો તરૂણભાઈ મહેતા, હસમુખભાઈ ગોંડલિયા, અનિલભાઈ ગોંડલિયા દ્વારા શષા પૂજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે સ્‍વામિ નારાયણ સંપ્રદાયના પૂ.ચત્રભુજ સ્‍વામીએ હિન્‍દુ ધર્મની રક્ષા કાજે વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગદળ અને દુર્ગા વાહિની જેવી સંસ્‍થાઓમાં જોડાઈ શાષાો અને હિન્‍દુઓની રક્ષા માટે ખાસ જોડાવા આહવાન કર્યું હતું. (તસ્‍વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી - જામનગર)

(1:22 pm IST)