Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

જેતપુરમાં ‘‘સેવાસેતુ'' ૪૦૯ લાભાર્થીએ લાભ લીધો

છેવાડાના લોકોની સુવિધાઓ અને કલ્‍યાણકારી સુવિધા ને સાર્થક કરવા રાજ્‍ય સરકાર પ્રજાલક્ષી કલ્‍યાણકારી યોજનાઓનો લાભ લોકોને ઘર આંગણે સરળતાથી મળી રહે તે માટે શહેર માં આઠમાં તબક્કા નો સેવાસેતુ કાર્યક્રમ યોજાય ગયો. જે અંતર્ગત શહેરી વિસ્‍તાર જેતપુરના ૪૦૯ લોકો ને  લાભાર્થી ઓ ને સરકારશ્રીના જુદાજુદા ૧૩ જેટલા વિભાગો નો સ્‍થળ પર લાભ મળ્‍યો હતો. જેમાં મામલતદાર કિશોરભાઈ અધેરા , ચીફ ઓફિસર અશ્વિનભાઈ ગઢવી તથા નગરપાલિકા ના  દિપકભાઇ પટોડીયા સહિતના જુદી જુદી કચેરીઓ માંથી અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા. સેવાસેતુ કાર્યક્રમ યોજાતા લાભાર્થી એવા ૪૦૯ પરિવાર ને યોજનાકીય લાભો પ્રાપ્ત થતાં સેવા સેતુ કાર્યક્રમ નો હેતુ સાર્થક થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે નગરપાલિકા ના કર્મચારી ઓ એ જહેમત ઉઠાવી હતી.

(3:07 pm IST)