Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

કચ્છના ભચાઉમાં માલગાડીમાં યુવાનનું ખૂન કરી લાશને કોથળામાં વીંટી ફેંકી દેવાઈ 

જામનગર FSL ના રિપોર્ટ બાદ પોલીસે શરૂ કરી તપાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫

 ગત બે મહિના પહેલાં કચ્છના ભચાઉ અને ચીરઈ ગામ વચ્ચે માલગાડીની ખાલી રેક માં કોથળામાં વીંટેલી હાલતમાં લાશ મળી આવી હતી. પાલનપુર થી કચ્છ આવતી માલગાડી ની રેક માં મળી આવેલ આ લાશ અંગે ચીરઈ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર અખિલેશ ગુપ્તાએ પોલીસને જાણ કરી હતી. દરમ્યાન આ લાશ સ્ત્રી ની છે કે પુરુષની તેમ જ તેનું મોત કઈ રીતે થયું છે એ જાણવા રેલવે પોલીસે જામનગર FSL માં લાશ મોકલાવી હતી. જેના રિપોર્ટ પ્રમાણે લાશ ૨૫ થી ૪૦ વર્ષના યુવાન પુરુષની હોવાનું અને ગળું દબાવી તેની હત્યા કરાઈ હોવાનું જાહેર કરાયું છે. ગાંધીધામ રેલવે પીઆઈ પી. કે. સોંદરવાએ આ અંગે જાતે ફરિયાદી બની અજાણ્યા પુરુષની હત્યા બાબતે અજાણ્યા ગુનેગારો સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:00 am IST)