Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

વડતાલમા ત્રણસો કરોડના ખર્ચેઆકાર પામનાર ‘‘અક્ષરભુવન''

પ્રથમ સ્‍તંભ સ્‍થાપના : ભક્‍તોએ શાકોત્‍સવનો લાભ લીધો

વાંકાનેર : શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયના મૂખ્‍ય તીર્થધામ વડતાલ ખાતે મહાસુદ પૂનમના રોજ  ભવ્‍યાતિભવ્‍ય દિવ્‍ય શાકોત્‍સવ વડતાલ પિઠાધીપતિ ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ  તથા સંતો મહંતોના સાનિધ્‍યમાં દબદબા ભેર રીતે ઉજવાયો હતો.  સભામંડપમાં પૂ.જ્ઞાનજીવન સ્‍વામી (કુંડળધામ)એ ૭૩ મી રવિસભા અંતર્ગત ધન્‍ય પુનમીયા  નરનાર રે.... એ વિષય પર કથામળતનું રસપાન કરાવ્‍યું હતું. જ્‍યારે ગોમતીતીરે રૂા.૩૦૦ કરોડના  ખર્ચે આકાર પામનાર નૂતન અક્ષરભુવનના પ્રથમ સ્‍તંભ આરોહણ આચાર્ય મહારાજશ્રી , તથા પૂ જ્ઞાનજીવનદાસજી સ્‍વામી , બાપુ સ્‍વામી , નૌતમપ્રકાશ સ્‍વામી , દેવપ્રકાશ સ્‍વામી વગેરે સંપ્રદાયના વરિષ્ઠ સંતો તથા હરિભક્‍તોની ઉપસ્‍થિતિમાં પૂજાવિધિ યોજાઈ હતી.  વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંત સ્‍વામીએ જણાવ્‍યું હતું કે, મંદિરના  પૂજારી બ્રહ્મચારી હરિસ્‍વરૂપાનંદજીએ મંદિરના દેવોને રસોયાના વાઘા ધરાવ્‍યા હતા. જેનો  હજ્‍જારો હરિભક્‍તોએ દર્શનનો લાભ લઈ ધન્‍યતા અનુભવી હતી. આ પ્રસંગે મંદિરના  આ પ્રસંગે સવારે શણગાર આરતી બાદ  મંદિરના સભામંડપમાં સંપ્રદાયના સુપ્રસિધ્‍ધ કથાકાર પૂ.જ્ઞાનજીવન સ્‍વામી (કુંડળધામ) દ્વારા  પ્રેમાનંદ સ્‍વામીના કિર્તન ધન્‍ય ધન્‍ય પુનમીયા નરનાર રે... આવે વડતાલે .... એ કિર્તન પર  કથામળતનું રસપાન કરાવ્‍યું હતું. આ પ્રસંગે બાલ સ્‍વામી - સરધાર , બ્રહ્મસ્‍વરૂપ સ્‍વામી, સત્‍સંગભૂષણ  સ્‍વામી (આણંદ), હરિઓમ સ્‍વામી,રામદાસજી સ્‍વામી  (યુ.એસ.એ.), પ્રભુચરણ સ્‍વામી (વેડરોડ સુરત), પ્રિયદર્શન સ્‍વામી (હરિનગર - વડોદરા)  સહિત સંપ્રદાયના સંતો-મહંતો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ અંતર્ગત ૭૩ મી  રવિસભાના યજમાન અ.નિ.રમીલાબેન સુપુત્ર દક્ષેશ ઈન્‍દુભાઈ પટેલ પરિવારે  આચાર્ય મહારાજનું ફુલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે બાપુ સ્‍વામી તથા પૂ.નૌતમ  સ્‍વામીએ પ્રાસંગીક ઉદ્‌બોધન કર્યું હતું. દરમ્‍યાન આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે પૂનમ  ભરવા આવતા તથા શાકોત્‍સવમાં પધારેલ ભક્‍તોને આર્શીવચન પાઠવતા જણાવ્‍યું હતું કે, ભગવાન  શ્રીહરિના સર્વોચ્‍ચ તીર્થધામ વડતાલ ખાતે રૂા.૩૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર નૂતન  અક્ષરભુવનના પ્રથમ સ્‍તંભ સ્‍થાપન પ્રસંગે આપ સૌ ભક્‍તો ઉપસ્‍થિત રહ્યા છો તે આનંદ અને  ગર્વની વાત છે. મહારાજે વડતાલને પોતાનું કેન્‍દ્ર બનાવ્‍યું છે. જ્‍યાં પ્રગટ સ્‍વરૂપ શ્રીહરિકળષ્‍ણ મહારાજ બિરાજે છે. ત્‍યાં ઉજવાતો કોઈપણ ઉત્‍સવ સમૈયા જેવો છે. વડતાલ મંદિરને ર૦૦ વર્ષ  પૂર્ણ થવાના થોડા મહિનાઓ બાકી રહ્યા છે ત્‍યારે દ્વિશતાબ્‍દી મહોત્‍સવને નિમિત્ત બનાવી જે ઉત્‍સવો  ઉજવાય છે. ભગવાન શ્રી સ્‍વામિનારાયણે આલોક અને પરલોકના સુખ માટે દેવો પધરાવ્‍યા છે.  પોતાનું શાશ્વત સ્‍વરૂપ શ્રીહરિકળષ્‍ણ મહારાજ પધરાવ્‍યું છે. તે વડતાલધામમાં જે સેવા કરે છે તેને  અવિનાશી સુખ મળે છે. અને -ાપ્ત થશે તે વાત નિર્વિવાદ છે.  ત્‍યારબાદ ગોમતીતીરે નૂતન અક્ષરભુવનના પ્રથમ સ્‍તંભ આરોહણ આચાર્યશ્રી  રાકેશપ્રસાદજી મહારાજના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે અશ્વિન ગોલવિયા ન્‍યાલકરણ ગ્રુપ બરોડા , ધીરૂભાઈ કોટડીયા - સહજાનંદ બાયોટેક ,પંકજભાઈ બરોડા , ભૂપેન્‍દ્રભાઈ ભરૂચ , કાતિભાઈ રાખોલિયા સુરત , મહેન્‍દ્રભાઈ ટ્રસ્‍ટી , ધારાસભ્‍ય શ્રી અર્જુનસિ ચૌહાણ ,તેજસભાઈ પીપળાવ વગેરે અગ્રણીઓ આ પ્રસંગે યોજાયેલ ત્રિદિનાત્‍મક હરિયાગની  પૂર્ણાહુતિ યોજાઈ હતી. આ -સંગે ચેરમેન પૂ.દેવપ્રકાશ સ્‍વામી, મુખ્‍ય કોઠારી ડો સંત સ્‍વામી , પૂ બાપુ સ્‍વામી પૂ.નૌતમ સ્‍વામી, સહિત  સંપ્રદાયના વરિષ્ઠ સંતો-ભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.શ્‍યામવલ્લભ  સ્‍વામીએ કર્યું હતું.  ભક્‍તોએ મંદિરમાં દર્શન કરી લોયાનાં શાકોત્‍સવની અનુભુતી કરી.  વડતાલ મંદિરમાં યોજાયેલ દિવ્‍ય શાકોત્‍સવ પ્રસંગે મંદિરમાં બિરાજેલા શ્રી હરિકળષ્‍ણ મહારાજ, શ્રી  લક્ષ્મીનારાયણ દેવ સહિત આદિ દેવો સમક્ષ ચૂલા ઉપર રીંગણનું શાક, રોટલા બનાવવાની સામગ્રી  ઉત્‍સવના પ્રતીકરૂપે મુકવામાં આવી હતી. આ દિવ્‍ય દર્શનનો હરિભક્‍તોએ લાભ લઈ ર૦૦ વર્ષ  પહેલા લોયામાં ઉજવાયેલા શાકોત્‍સવની અનુભુતી કરી હતી.

(11:37 am IST)