Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

જામકલ્યાણપુરના રણજિતપુર અને ભોગાત ગામમાં કોરોના સંક્રમણને લઈને સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર

જીવન જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહેશે: સરપંચ, સ્થા.વેપારીઓએ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને નિર્ણય

દેવભૂમિ દ્વારકા શહેરમાં વધતા કોરોના સંક્રમણને કારણે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.જેમાં દ્વારકા જિલ્લના જામકલ્યાણપુર તાલુકા ખાતેના બે ગામ રણજિતપુર અને ભોગાત ગામ માં કોરોના કેસ ના સંક્રમણને લઈનેસ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરાયેલ છે.જેમાં સરપંચ, સ્થા.વેપારીઓએ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરાયો છે.ગામમાં જીવન જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહેશે.જેથી લોકોમાં અવ્યવસ્થા ન સર્જાય.

(9:32 pm IST)