Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

જૂનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ : મંદિરે કોરોના વેકસીન કેમ્પ યોજાયો

જૂનાગઢ : જૂનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તથા મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે રસીકરણ કેમ્પ યોજાયો હતો. જૂનાગઢ વોર્ડ નં. ૭ના કોર્પોરેટર સંજયભાઇ કોરડીયાએ જણાવ્યું હતુ કે કોરોનાની બીજી લહેર વચ્ચે મંદિરના કોઠારી સ્વામી ધર્મ વિનયદાસજી સહિતના સંતો તેમજ હરિભકતો અને આ વિસ્તારમાં વસતા નગરજનોએ અક્ષરવાડી પ્રેમવતી કેમ્પસમાં કોરોનાની વેકસીન લીધી હતી. અને આગામી તા. ૧૧ એપ્રિલના રોજ ફરી વખત અક્ષર મંદિર ખાતે સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી નાગરિકો માટે રસીકરણનો કેમ્પ યોજાશે. જેમાં લાભ લેવા સંજય કોરડીયાએ અપીલ કરી છે. આ કેમ્પમાં ડો. રવિ ડેડાણીયા અને તેની ટીમે સેવા આપી હતી. (અહેવાલ : વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(10:49 am IST)