Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

જુનાગઢમાં ત્રિલોકનાથ બાપુની પૂણ્યતિથી નીમીતે ધર્મસભા

જુનાગઢ : ભવનાથ તળેટી સ્થિત શ્રી ગોરક્ષનાથ આશ્રમ ખાતે ગઇકાલે પુ.ત્રિલોકનાથ બાપુની પુણ્યતીથીની પુ.શેરનાથબાપુ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે પુ. ત્રિલોકનાથબાપુની સમાધીનુ શાસ્ત્રોકત વિધી સાથે શેરનાથબાપુએ  પુજન કર્યું હતું બાદમાં અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ પુ. મુકતાનંદબાપુ , વલકુબાપુ સતાધારના વિજયબાપુ તેમજ મહાદેવભારતીબાપુ અને ગીરનાર મંડળના સંતોની ઉપસ્થિતીમાં ધર્મસભા અને બાદમાં સંતોનો મહાપ્રસાદ ભંડારો યોજાયો હતો અને રાત્રે સંતવાણીના કાર્યક્રમ સાથે સાદગી પૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:09 pm IST)