Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ચોટીલા-ધ્રાંગધ્રા એસ.ટી.બસમાં સ્ટેયરીંગ લોક થતા પલ્ટી ગઇઃ ૩પ મુસાફરોનો આબાદ બચાવ

(ફઝલ ચૌહાણ દ્વાર) વઢવાણ તા. ૬ ચોટીલાથી ધ્રાંગધ્રા તરફ આવતી હતી. આ દરમિયાન કોંઢ-રતનપર વચ્ચે એસ.ટી.બસનું સ્ટેયરીંગ લોક થઇ જતા બસ રોડની સાઇડમાં ઉતરી જતા બસ પલ્ટી ખાઇ ગઇ હતી.ત્યારે બસમાં બેઠેલા ૩પ જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

એસ.ટી.ને અકસ્માતના સમાચાર મળતા ધ્રાંગધ્રા એસ.ટી.ના અધિકારી શિવરાજસિંહ ઝાલા, અજયસિંહ ઝાલા, વનરાજસિંહ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.અને મુસાફરોને મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ અકસ્માતમાં કોઇ જાનહાની ન થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

(3:58 pm IST)