Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર કોરોના કેસ વધતા ફરી બંધ

વાંકાનેર,તા.૬:બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિધ્ધ સાળંગપુરધામ માં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સરકારના આગામી સૂચન સુધી ધર્મશાળા, ભોજનાલય, પૂજાપાઠ એને દર્શન બંધ રાખેલ છે. હવે સાળંગપુર મંદિર સંપૂર્ણપણે બંધ રહેશે કારણ કે સમગ્ર ભારત તેમજ ગુજરાતમાં કોરોનાની મહામારીના કારણે લોકો જીવ ગુમાવી રહયા છે ત્યારે સરકાર દ્વારા ધર્મસ્થળના દર્શનો બંધ રાખવાના સલાહ સૂચનો કરતા બોટાદના સાળગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા સરકારના સૂચનનુ પાલન કરીને મંદિર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં દર્શન, ધર્મશાળા, ભોજનાલય, પૂજાપાઠ વગેરે બંધ રાખવામાં આવેલ છે. સરકારની નવી ગાઈડલાઈન મુજબ મંદિર બંધ રહેશે જેની સહુ હરી ભકતજનોએ નોંધ લેવી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના લાઈવ દર્શન, આરતી વગેરે યુટ્યુબ સાળંગપુર હનુમાનજીમાં ઓનલાઇનમાં આવે છે.તેમશ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીજી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી તેમજ ડી.કે. સ્વામીજીની યાદીમાં જણાવાયું છે.

(11:39 am IST)