Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ગીર સોમનાથમાં ૧૯૦ કોરોના પોઝીટીવઃ વેરાવળમાં ૧૬ના મૃત્યુ ૪૦૦ વેઈટીંગઃ ખાનગી હોસ્પીટલ હાઉસફુલ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૬: ગીર સોમનાથ જીલ્લામાં ૧૯૦ કોરોના પોઝીટીવ આવતા ભારે ખળભળાટ મચેલ છે ૧૬ ના મૃત્યુ થયેલ હોય તેમજ સીવીલ હોસ્પીટલની અંદર ૪૦૦ વેઈટીગ છે ખાનગી હોસ્પીટલો મોટા ભાગની હાઉસફુલ છે ટેસ્ટીગ ઓછા થતા હોય તેમ છતા આટલા પોઝીટીવ આવતા આરોગ્ય ક્ષેત્રે પણ દોડધામ થયેલ છે. ગીર સોમનાથ જીલ્લામાં ૧૯૦ કોરોના પોઝીટીવ ર૪ કલાક માં આવતા ભારે ખળભળાટ મચેલ છે આરોગ્ય તંત્ર માં દોડધામ થયેલ છેર૪ કલાક માં વેરાવળ ૪૪,સુત્રાપાડા ૧૮, કોડીનાર ૩પ, ઉના ૩૪, ગીરગઢડા ર૧, તાલાલા ૩૮નો સમાવેશ થાય છે બિન સતાવાર રીતે ૧૬ના મૃત્યુ થયેલ છે તેમાં સીવીલમાં ૬ મૃત્યુ થયેલ છે તેનો સમાવેશ થાય છે ૪૦૦ વેઈટીગ છે મોટા ભાગની ખાનગી હોસ્પીટલો હાઉસફુલ છે દિવસે દિવસે મૃત્યુઆંક વધતો જાય છે.

(1:02 pm IST)