Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ભાવનગરમાં કોરોનાના ૨૨ કેસ : લોકોમાં ફફડાટ

(મેઘના વિપુલ હિરાણી દ્વારાા ભાવનગર તા.૬ : ભાવનગરમાં કોરોના વાયરસની રફતાર વધી છે. ભાવનગર શહેરમાં વધુ ૨૨ લોકો કોરોના સંક્રમિત થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ભાવનગર શહેરમાં કોરોનાના કેસો વધતા લોકોમાં ફરી કોરોનાએ ચિંતાની લાગણી ફેલાઇ છે. શહેરના વિવિધ વિસ્‍તારો બોરડીગેટ, પ્રભુદાસ તળાવ, કાળીયાબીડ, પીરછલ્લા શેરી વિગેરે વિસ્‍તારોમાં ફુલ ૨૨ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા છે. ભાવનગર ગ્રામ્‍યમાં કેસ નોંધાયો નથી અને ભાવનગર ગ્રામ્‍યથી ત્રણ દર્દીઓ થયેલ છે. હવે ભાવનગર જિલ્લામાં કોરોનાના એક્‍ટિવ દર્દીઓની સંખ્‍યા ૯૧ થવા પામી છે.

(11:35 am IST)