Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામમાં શ્રાવણના પ્રથમ સોમવારે બીલીપત્રનો શણગાર કરાશે

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર તા. ૬ : બોટાદ જિલ્લાના જગવિખ્યાત સૌનું આસ્થાનું પ્રતિક એવા સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર આયોજિત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે દાદાના બીલી પત્રના શણગાર દર્શન રાખેલ છે. દાદાની નિજ મંદિરમાં આખા સિંહાસનને બીલીપત્રના શણગારથી સુશોભીત કરવામાં આવશે. શણગાર - આરતી સવારે ૫.૪૫ કલાકે રાખેલ છે.

આ ઉપરાંત શ્રાવણમાસ દરમિયાન દાદાને વિવિધ શણગાર દર્શન, અન્નકોટ દર્શન, વગેરેનું આયોજન કરેલ છે. ઘર બેઠા ઓનલાઇન વિવિધ ઉત્સવો, દર્શન અને આરતી  ONLY ON > YOU TUBE SALANGPUR HANUMANJI  નિહાળી શકાશે. તેમ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિરના પૂજય શાસ્ત્રીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સ્વામિશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, તેમજ સ્વામીશ્રી ડી. કે. સ્વામીજીની યાદીમાં જણાવાયું છે.

(12:05 pm IST)