Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

અસામાજીક તત્વોના ત્રાસના વિરોધમાં જુનાગઢના કડીયાવાડના વેપારીઓએ બંધ પાળ્યો

પેટ્રોલીંગ વધારવા વેપારીઓની માંગણી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૬: અસામાજીક તત્વોના ત્રાસના વિરોધમાં જૂનાગઢના કડીયાવડ વિસ્તારમાં વેપારીઓએ બંધ પાડીને આક્રોષ વ્યકત કર્યો હતો.

કડીયાવાડ વિસ્તારમાં સાંજના સમયે દારૂડીયા શખ્સો સહિતના અસામાજીક તત્વોના ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠેલા વેપારીઓએ આજે સવારથી બંધ પાડીને રોષ દર્શાવ્યો હતો.

વેપારીઓના બંધના પગલે એ- ડીવીઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને વેપારીઓની રજૂઆત સાંભળી હતી. વેપારીઓએ કડીયાવાડ વિસ્તારમાં અસામાજીક તત્વોનો ત્રાસ નિવારવા પેટ્રોલીંગ વધારવા માંગણી કરી હતી.

(3:08 pm IST)