Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ધોરાજી આઈટીઆઈ કચેરી ખાતે રોજગાર દિવસ અંતર્ગત રોજગાર પત્ર વિતરણ સમારોહ યોજાયો

ગુજરાત સરકાર દ્વારા આજે સમગ્ર ગુજરાતના આઈટીઆઈ વિભાગમાં રોજગાર પત્ર વિતરણ સમારોહ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં હજારો યુવાનોને રોજગારી મળી રહી છે : ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ :સમારોહમાં મનીષભાઈ ચાંગેલા વિ.ડી. પટેલ હરસુખ ભાઈ ટોપિયા કિશોરભાઈ રાઠોડ વિનુભાઈ માથુકિયા લલીતભાઈ વોરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી આઈટીઆઈ  કચેરી ખાતે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર દ્વારા રોજગાર દિવસ અંતર્ગત રોજગાર પત્ર વિતરણ સમારોહ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો
  આ પ્રસંગે રાજકોટ ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ તેમજ રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાંગેલા પ્રદેશ ભાજપ સદસ્ય  વિ ડી. પટેલ જિલ્લા ભાજપ મંત્રી હરસુખભાઈ ટોપીયા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરા શહેર ભાજપ મહામંત્રી વિજયભાઈ બાબરીયા મહામંત્રી મનીષભાઈ કંડોલીયા જિલ્લા કારોબારી સદસ્ય દિલીપભાઈ હોતવાણી મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા પૂર્વ ભાજપના પ્રમુખ પ્રભુદાસભાઈ માવાણી ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી મામલતદાર કિશોર જોલાપરા ધોરાજી આઈ.ટી.આઈ.ના પ્રિન્સિપાલ કે.વી વાઘમશી તેમજ વિ.વિ. ભેસાણીયા સંજયભાઈ ચાવડા ડેનિસભાઈ ઘેટીયા જયદીપભાઇ મારડિયા વિગેરે અધિકારીઓ ના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો
  સમારોહના અધ્યક્ષ સ્થાને થી ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવેલ કે આજે ગુજરાત સરકાર દ્વારા શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર ના માધ્યમ થી સુરત ખાતે રોજગાર દિવસ અંતર્ગત રોજગાર પત્ર વિતરણ સમારોહ  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના અધ્યક્ષસ્થાને યોજાઇ રહ્યો છે ત્યારે આજે ધોરાજી આઈટીઆઈ  વિભાગમાં પણ જે વિદ્યાર્થીઓએ પોતાની સ્કીલ દર્શાવી છે તેવા તમામ વિદ્યાર્થીઓને અહીં રોજગાર પત્ર એનાયત કરવામાં અમને જે લાભ મળ્યો છે એ વિશે હું જણાવું છું કે ભાજપ સરકાર પહેલા જે સરકાર હતી અને સરકારે માત્ર રોજગારીની વાતો કરી હતી પરંતુ જ્યારથી ગુજરાતમાં ભાજપ સરકાર આવી ત્યારથી ખરા અર્થમાં વિદ્યાર્થીઓને રોજગારીની તક આપી છે તેનું આ મોટું ઉદાહરણ છે કારણકે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના વરદ હસ્તે અનેક વિદ્યાર્થીઓને રોજગાર પત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે સાથે સાથે સમગ્ર ગુજરાતની આઇટીઆઈ વિભાગ કચેરીઓમાં પણ એકસાથે સમારોહમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને રોજગાર પત્ર મળી રહ્યા છે એનો અર્થ એ થાય છે કે વિદ્યાર્થીઓને નોકરીની ઉત્તમ તક મળી રહી છે એટલું જ નહીં ખેડૂતોની વાત કરીએ તો પણ ખેતરમાં પણ રોજગારીની તક ગરીબ પરિવારોને મળી રહી છે કારણ કે કામ કરે એવા મજૂરો પણ મળતા નથી ત્યારે એમને પણ રોજગારીની ઉત્તમ તક મળી છે આ રીતે ગોવિંદભાઈ પટેલ ગુજરાત સરકારની શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જે કાર્ય કરી રહ્યા છે અને ગુજરાત સરકારે પણ વિદ્યાર્થીઓ માટે અનેક રોજગારીની તકો ઉભી કરી છે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી
રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાંગેલાએ જણાવેલ કે આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્કીલ ઇન્ડિયા ના મારફતે વિદ્યાર્થીઓ માટે રોજગારીની વધુ તકો આપી છે સ્કિલ ડેવલપમેન્ટના માધ્યમથી ટેકનિકલ હાઈસ્કૂલમાં iti વિભાગમાં અને ગરીબ વિદ્યાર્થીઓને પણ આજે રોજગાર પત્રના માધ્યમથી નોકરી મળવાની  તક પ્રાપ્ત થઈ છે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે એક સાથે ગુજરાતની તમામ iti વિભાગની કચેરીઓ માંથી તમામ વિદ્યાર્થીઓને પોતાના સ્કીલના આધારે રોજગાર પત્ર વિતરણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ધોરાજીના જે વિદ્યાર્થીઓને આ તકનો લાભ મળ્યો છે તેને હું અભિનંદન પાઠવું છું આ સાથે ધોરાજી આઇટીઆઈ વિભાગના અધિકારીઓનો તેમજ વિદ્યાર્થી બંધુઓનો આભાર માન્યો હતો
આ સાથે પ્રદેશ ભાજપ સદસ્ય વી.ડી. પટેલે પણ વિદ્યાર્થીઓને આઈટીઆઈમાં રોજગારીની તકો મળે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી..
આ સમયે ધોરાજી આઈટીઆઈ વિભાગમાંથી જે વિદ્યાર્થીઓએ પોતાની સ્કિલ ડેવલપમેન્ટના આધારે શ્રેષ્ઠ કામગીરી બજાવી હતી તેવા તમામ વિદ્યાર્થીઓને મહેમાનોના વરદ હસ્તે રોજગાર પત્ર વિતરણ કરવામાં આવ્યું હતું
સમારોહમાં રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સદસ્ય વી.ડી. પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાંગેલા જિલ્લા ભાજપ મંત્રી હરસુખભાઈ ટીપીયા રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ ધોરાજી શહેર ભાજપના પ્રમુખ વિનુભાઇ માથુકિયા ધોરાજી વેપારી મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરા જિલ્લા ભાજપ કારોબારી સદસ્ય દિલીપભાઈ હોતવાણી શહેર ભાજપ મહામંત્રી વિજયભાઈ બાબરીયા મહામંત્રી મનીષભાઈ કંડોલીયા  મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા પૂર્વ ભાજપ પ્રમુખ પ્રભુદાસભાઈ માવાણી તેમજ ડેપ્યુટી કલેક્ટર ગૌતમ મિયાણી ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા આઈટીઆઈ વિભાગના પ્રિન્સિપાલ કે.વી વાઘમશી ઉપલેટા આઇટીઆઈ વિભાગના વિ.વિ ભેસાણીયા ધોરાજી આઈટીઆઈ વિભાગના સંજયભાઈ ચાવડા ડેનિસ ભાઈ ઘેટીયા જયદીપભાઇ મારડિયા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ ચાવડા કર્યું હતું

 

(8:05 pm IST)