Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

કાલે જુનાગઢમાં ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન દ્વારા અભિવાદન સમારોહ

ડોળીવાળાઓ અંગે ડો. ડી. પી. ચિખલીયાએ લખેલા પુસ્તકના વિમોચન સમારંભના અધ્યક્ષ સ્થાને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને ઉદ્ઘાટક તરીકે કેન્દ્રિય મંત્રી પુરૃષોતમભાઇ રૃપાલા ઉપસ્થિત રહેશેઃ દિલીપભાઇ સંઘાણી, ડોલરભાઇ કોટેચા, અને બિપીનભાઇ પટેલનું મહાનુભાવોની ઉપસ્થિતીમાં થશે અભિવાદન

જુનાગઢ : ઉપરોકત તસ્વીરમાં સ્વ. ભાવનાબેન ચિખલીયા અને જે મહાનુભવોનું અભિવાદન થવાનું છે તે અને કાર્યક્રમ અંગે પત્રકાર પરિષદમાં વિગત આપતા ડો. ડી. પી. ચિખલીયા સાથે જુનાગઢ ટુડેના તંત્રી કૃષ્ણકાંતભાઇ રૃપારેલીયા અને માહિતી નિયામક નરેશભાઇ મહેતા નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૬ :.. કાલે તા. ૭ રવિવારના રોજ સવારે ૧૦ કલાકે એગ્રીકલ્ચર ઓડીટોરીયમ, કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખાતે ઉપલબ્ધિ અભિવાદન સમારોહનું ભાવનાબેન ચિખલીયા ફાઉડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

ઉપલબ્ધિ અભિવાદન સમારોહ આયોજક સમિતિ અને ભાવનાબેન ચીખલીયા ફાઉડેશન જુનાગઢના સંયોજક ડો. ડી. પી. ચિખલીયાએ જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સહકાર સે સમૃધ્ધીના સુત્રને સાચા અર્થમાં દેશની જનતા માટે સાકાર કરવાના અભિગમ તેમજ સહકાર મંત્રાલય અને તેના પ્રથમ સુકાની તથા સહકાર મંત્રાલયને નવી ચેતના પ્રદાન કરી રહ્યા છે. કેન્દ્રના ગૃહપ્રધાન અને સહકાર મંત્રીશ્રી અમીતભાઇ શાહના સહકાર ક્ષેત્રના લાભોનો દેશના છેવાડાના લોકોને મહત્તમ ફાયદો થાય તેવા ઉદેશને સિધ્ધ કરવા માટે સહકાર સે સમૃધ્ધી સુત્રની સાર્થકતાના સારથી તરીકે સેવા રત્ન મહાનુભાવોની વરણી થઇ છે.

સન્માનીય ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટીલાઇઝર કો.-ઓપ. (ઇફકો)ના ચેરમેન તથા અમરેલી ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન દિલીપભાઇ સંઘાણીના નેશનલ કો-ઓપરેટીવ  બેંકના ચેરમેન શ્રી ડોલરભાઇ કોટેચાની ઓલ ઇન્ડીયા ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર કો ઓપરેટીવ બેંકના ચેરમેન તરીકે તેમજ ગુજરાત સ્ટેટ એગ્રી કો-ઓપરેટીવ બેંકના ચેરમેન શ્રી ડોલરભાઇ કોટેચાની ઓલ ઇન્ડીયા ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર કો-ઓપરેટીવ બેંકના ચેરમેન તરીકે અને ગુજકોમાસોલના વાઇસ ચેરમેન બિપીનભાઇ પટેલ (ગોતા) ની સહકારતા સેલ-ભાજપના કન્વીનર તરીકે નિયુકતી થઇ છે.

આ મહાનુભાવોનું વિશિષ્ટ સેવા સન્માન અભિવાદન કરવા માટે કાર્યક્રમ આયોજીત કરાયેલ છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ અને ઉદઘાટક તરીકે કેન્દ્રના મત્સ્ય-પશુપાલન અને ડેરી મંત્રી પુરૃષોતમભાઇ રૃપાલા ઉપસ્થિત રહેશે.

ઉપલબ્ધિ અભિવાદન સમારોહના મુખ્ય મહેમાન તરીકે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન ભાજપના પ્રભારી શ્રી વિનોદભાઇ ચાવડા, પશુપાલ રાજયમંત્રી દેવાભાઇ માલમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. નરેન્દ્ર ગોંટીયા, જુનાગઢ મહાનગર ભાજપના પ્રભારી ચંદ્રશેખરભાઇ દવે, જુનાગઢ જીલ્લા ભાજપના પ્રભારી  કિરીટભાઇ પટેલ, અને જુનાગઢ મહાનગર ભાજપના પ્રમુખશ્રી પુનીતભાઇ શર્મા ઉપસ્થિત રહેશે.

અભિવાદન સમારોહ પ્રસંે ડો. ડી. પી. ચીખલીયાએ ગિરનારના ડોળીવાળા સભ્યો અંગે લખેલા પુસ્તકનું વિમોચન પણ થશે.

આ પ્રસંગે રાજયની વિવિધ સહકારી  સંસ્થાઓના પદાધિકારી, રાજકીય અગ્રણીઓ સામાજીક કાર્યકરો અને પ્રબુધ્ધ નાગરીકો હાજરી આપશે.

(1:48 pm IST)