Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

નાગપુર ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા શાલીમાર - પોરબંદર શાલીમારની ૪ ટ્રેનો રદ્દ

રાજકોટ, તા. ૬ : દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે માં સ્થિત નાગપુર ડિવિઝનના કન્હાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેકટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૪ ટ્રેનો રદ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છેૅં

રદ કરાયેલી ટ્રેનો

- ટ્રેન નંબર ૨૨૯૦૫ ઓખા-શાલીમાર એકસપ્રેસ ૦૭.૦૮.૨૦૨૨ ના રોજ રદ.

- ટ્રેન નંબર ૨૨૯૦૬ શાલીમાર-ઓખા એકસપ્રેસ ૦૯.૦૮.૨૦૨૨ ના રોજ રદ.

- ટ્રેન નંબર ૧૨૯૦૫ પોરબંદર-શાલીમાર એકસપ્રેસ ૧૦.૦૮.૨૦૨૨ અને ૧૧.૦૮.૨૦૨૨ ના રોજ રદ.

- ટ્રેન નંબર ૧૨૯૦૬ શાલીમાર-પોરબંદર એકસપ્રેસ ૧૨.૦૮.૨૦૨૨ અને ૧૩.૦૮.૨૦૨૨ ના રોજ રદ.

(2:04 pm IST)