Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મોરબી સ્વ. મનહરલાલ. વી. રાવલના જન્મદિને યોજાયેલ

કેમ્પનો ૧૧૫લાભલીધો, ૫૦એ બ્લડસુગર ટેસ્ટ કરાવ્યા.

મોરબી ખાતે ફિદાઇપાર્ક ખોજા સમાજમાં સ્વ શ્રી મનહરલાલ. વી.રાવલના જન્મદિન નિમિતે તેમની પુત્રી દ્વારા નિશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. હસ્તિ બેન મહેતા દ્રારા અલગ અલગ રોગના દર્દીઓને તપાસી તેમને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. ડો. સુરેશભાઈ કાલરીયા (સિવિલ હોસ્પિટલ મોરબી, આંખની હોસ્પિટલ વિભાગ) દ્વારા ૪૦ જેટલા આંખના દરદીઓને તપાસી આંખના ટીપા આપવા સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું તેમજ ૫૦ થી વધારે બ્લડ સુગર ટેસ્ટ સાથે બી.પી. ચેક અપ કરી આપવામાં આવ્યુ હતુ.

ખોજા સમાજ દ્વારા આવનારા તમામ દરદીઓને ચા નાસ્તો આપવામાં આવ્યો હતો અને દાતા પરિવારની પુત્રી કુમારી કૌશિકા રાવલના હાથે કેક કપાવીને સ્વ. મનુભાઈ રાવલના જન્મદિની ઊજવણી કરાઇ હતી. તો દાતા પરિવાર તરફથી ડો. હસ્તિ બેનને ચેક અર્પણ કરવા સાથે ડો. સુરેશભાઈ તેમજ ખોજા સમાજના મુખીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું.

કેમ્પને સફળ બનાવવા ચંદ્રલેખાબેન મહેતા, જયસુખભાઇ પટેલ, રશ્મિનભાઈ, વર્ષાબેન તેમજ ફિરોજભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

(11:30 pm IST)