Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વીરપુરમાં બ્રિજેશ મેરજાનું સ્વાગતઃ ગોરધનભાઈ ધામેલિયાના આંગણે મહેમાનગતિ

રાજકોટઃ રાજ્યના પંચાયત અને શ્રમ-રોજગાર વિભાગના રાજ્યમંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ ગઈકાલે વીરપુરમા પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવેલ. તેમણે રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયાના આમંત્રણને માન આપી તેમના ઘરે મુલાકાત લેતા ધામેલિયા પરિવારે સ્વાગત અને મહેમાનગતિ કરેલ. મેરજા-ધામેલિયાએ વર્ષો જૂના સબંધોના સંસ્મરણો વાગોળ્યા હતા. જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયા, જેતપુર માર્કેટયાર્ડના ડીરેકટર હરિભાઈ વેકરિયા, તાલુકા પંચાયતના માજી પ્રમુખ રાજુભાઈ બારૈયા વગેરે ઉંપસ્થિત રહ્યા હતા

 

(10:39 am IST)